Ashaval
ગુજરાતનાં દરેક ગામ અને નગરોની ધૂળમાં કાન માંડીએ તો તેની રોમાંચક કથા જાણવા મળે. કેટલાકનો ઇતિહાસ આપણે જાણીએ છીએ, પણ ઘણું બધું હજુ અતીતના અંધારમાં પડ્યું છે. હમણાં એક વિવાદ એવો શરૂ થયો છે કે અમદાવાદનું નામ એનું એ રાખવું જોઈએ કે પછી તેના પુરાતન નામ કર્ણાવતીને ફરીવાર અપનાવવું જોઈએ. આમાં ‘નામમાં તે શું વળી’ એવી શેક્સપીયરની ઉક્તિ ઉપયોગમાં લેવાય તે પછી પણ સવાલ તો ઊભો રહે જ કે પ્રજાજનો અને તેની પરંપરાનું મહત્ત્વ તે સ્થાનોનાં નામ સાથે જોડાયેલું છે. મેઘાણીને કોઈ વિવેચકે એવું કહ્યું હતું કે આ તમે ભૂતકાળનાં લોકોને, જે ક્યારનાં મૃત્યુ પામ્યાં છે, તેમને યાદ શા માટે કરો છો? મેઘાણી પાસે સરસ જવાબ હતો: ‘…પણ હું શા માટે કાળગર્તમાં ક્યારના ગારદ થઈ ગયેલાંઓનું આ ગાન પુન: પુન: ગાયા કરું છુ? મારી પાસે જવાબ નથી. એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં, મર્યાં હોય તોય મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યાં જ કરે છે. કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાન વિચારણાની તુલનાએ તોળી ના શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય ઉદાર અને સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજ વચ્...
Comments
Post a Comment